બનાસકાંઠા ગમખ્વાર અકસ્માત: રાજ્ય સરકાર પીડિત પરિવારોને 4 લાખની સહાય કરશે
Live TV
-
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના પાંચ ગામના શ્રર્દ્ધાળુઓ ખાનગી બસ કરીને અંબાજી દર્શને ગયા હતા. પરંતુ દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે ત્રિશુલિયા ઘાટ નજીક બસ પલટી ખાઈ જતા 21 શ્રર્દ્ધાળુના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. તમામ શ્રર્દ્ધાળુ આંકલાવ તાલુકાના હતા. જે પૈકી ખડોલ ગામના છ શ્રર્દ્ધાળુઓનો સમાવેશ થતો હતો. છ શ્રર્દ્ધાળુના મૃતદેહ ગામમાં આવતા શોકનું મોજુ ફરી વળ્યું હતું. તમામ શ્રર્દ્ધાળુને એક સાથે અગ્નિસંસ્કાર અપાયા હતા. અંત્યેષ્ઠીમાં હજારો લોકો જોડાયા હતા. રાજ્ય સરકારે દુર્ધટનાનો ભોગ બનેલા પરિવારોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત કરી છે.
