કચ્છમાં અછતની સ્થિતી પહોંચી વળવા સરકાર તરફથી કરાઈ પૂરતી મદદ
Live TV
-
અછતની સ્થિતિમાં સરકારની પૂરતી મદદ થકી કેટલાક પશુપાલકો અને પાંજરાપોળના સંચાલકો પશુઓની ભુખને સંતોષવા સક્ષમ બન્યા છે
કચ્છમા અછતની સ્થિતીને લઇને પશુપાલકો અને પાંજરાપોળના સંચાલકો મુશ્કેલીમાં છે. સરકાર તરફથી પણ આ અંગે પૂરતી મદદ કરાઈ રહી છે. ત્યારે આ અછતની સ્થિતિમાં કેટલાક પશુપાલકો અને પાંજરાપોળના સંચાલકો પશુઓની ભુખને સંતોષવા સક્ષમ બન્યા છે.માનકુવા ગામની ગૌ શાળામાં ક્યારેય ઘાસની અછત સર્જાઇ નથી. કારણ કે દર વર્ષે અહીં 10 એકર જમીનમાં 400 પશુઓ માટે ઘાસ અને મકાઇનુ વાવેતર કરાય છે. જેથી પશુઓનો નિભાવ કરી શકાય. આ સંચાલકો અન્યો માટે પણ ઉદાહરણ બની રહ્યા છે.
