કમલમ્ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર પર પ્રદર્શન
Live TV
-
ગાંધીનગર કમલમ્ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીના જીવન ચરિત્ર પર પ્રદર્શન પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં સુરેન્દ્ર કાકા દ્વારા ખુલ્લુ મુકાયુ હતું. પ્રધાનમંત્રીના બાળપણથી લઇને આજ દિન સુધીના દુર્લભ ચિત્રોનું પ્રદર્શન રજૂ કરાયુ છે. વર્તમાન પેઢી તેમાથી પ્રેરણા લે તે હેતુથી આ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું, કે પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ભાજપના હજારો કાર્યકરો તેમનું સ્વાગત કરશે. 370 ની કલમ હટાવ્યા બાદ તે પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમના આ નિર્ણય થકી મહાત્મા ગાંધી અને સરદાર પટેલનનું સ્વપ્ન સાકાર થયુ છે.
