કાલોલની શાળામાં શહીદ સ્મારકનું અનાવરણ
Live TV
-
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાની પી.કે.એસ શાળા ખાતે cisf ના સીનીયર કમાનડન્ટ નીતિ મિત્તલની ઉપસ્થિતિમાં ,પંચમહાલના બીજેપી અધ્યક્ષ શ્રી અશ્વિન પટેલ ના હસ્તે શહીદ સિપાહી કીર્તન કુમાર સોલંકીના સ્મારકનું અનાવરણ કરાયું હતું. શહીદ સિપાહી સોલંકી કીર્તન કુમાર કે જેઓ 12-04-2009 ના રોજ CISF ની ઇકાઈ નાલ્કો દમનજોડી ,કોરયુટ ખાતે દારૂગોળા ભંડાર પર પોતાનું કર્તવ્ય નિભાવતા શહીદ થયા હતા. આ સમયે નક્સલીઓએ દારૂગોળાના ભંડાર લુંટવાના હેતુ થી હુમલો કર્યો હતો, તે હુમલા ને નિષ્ફળ બતાવતા શ્રી સોલંકી કીર્તન કુમાર વીરગતિ પામ્યા હતા. સ્મારકનું અનાવરણ થતા લોકો એ પોતાના વીર શહીદ માટે ગર્વ ની લાગણી અનુભવી હતી.
