કાલોલમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો સગેવગે થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ
Live TV
-
પંચમહાલના કાલોલ ખાતે આવેલા અનાજના સરકારી ગોડાઉનમાંથી મોટાપાયે અનાજનો જથ્થો સગેવગે થયો હોવાની આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગોધરાના નાયબ જિલ્લા મેનેજર દ્વારા કાલોલ પોલીસે ફરિયાદ દાખલ થઈ છે. વીજીલન્સ ટીમ દ્વારા કાલોલના સરકારી અનાજ ગોડાઉનનું ઓડિટ હાથ ધરાતાં ઘઉંની 16 હજાર ચોખાની પચીસ્સો જેટલી બોરી સગેવગે થયાનું ધ્યાને આવ્યું હતું. હવે વ્યાપક તપાસને અંતે મોટું કૌભાંડ ઝડપાતાં ગોડાઉનના પૂર્વ મેનેજર્સ સહિત નવ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. કૌભાંડની રકમ પણ વધીને રૂપિયા ત્રણ કરોડ થઈ ચૂકી છે.
