કાળી ચૌદશ સાથે જોડાયેલી અંધશ્રધ્ધા ભારત જન વિજ્ઞાન જાથાએ દૂર કરી
Live TV
-
કાળી ચૌદશ જેવી તિથી સાથે જોડાયેલી અંધશ્રધ્ધા અને ખોટી માન્યતા સામે ભારત જન વિજ્ઞાન જાથાએ જાગૃતિનું કામ કચ્છમાં ઉપાડયું છે. આ સંસ્થા દ્વારા હાલ કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે 14 લોકો સ્વયંભુ સ્મશાનગૃહની મુલાકાત લેશે તથા વૈજ્ઞાનિક અભિગમ વિકસાવશે.
અંધશ્રદ્ધા, મેલીવિદ્યા, ચમત્કાર, કર્મકાંડ, અંધશ્રદ્ધાએ પ્રજાને પાયમાલ કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું. કાળીચૌદસ ભારે કે અશુભ દિવસ નથી તેવી વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી. જાથાના પ્રદેશ અધ્યક્ષ-એડવોકેટ જયંત પંડ્યાએ પત્રિકાનું વિતરણ કરતાં જણાવ્યું હતું કે, વાગડ પંથકમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ હોવાથી આ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.
