કાશ્મીરના પુલવામાં હુમલાબાદ ગુજરાતમાં તમામ ટ્રેનોનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
Live TV
-
કાશ્મીરના પુલવામાં હુમલાબાદ ગુજરાતમાં આપવામાં આવેલા એલર્ટને પગલે આજે પશ્ચિમ રેલવે દ્વારા ગોધરા રેલવે મથક ખાતે મુંબઈ-દિલ્હીથી આવતી તમામ ટ્રેનોનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે પંચમહાલ જિલ્લાના મહત્વના ગણાતા ગોધરા રેલવે જંક્શન પર પશ્ચિમ રેલવે દ્વારા બોમ્બ સ્કવોડ ટીમ રેલવે પોલીસની એલસીબી શાખા એસઓજી શાખા તમામ ટીમોને સાથે રાખી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ તથા દિલ્હી તરફથી આવતી તમામ ટ્રેનોમાં મુસાફરોના માલ સામાનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું ઉપરાંત રેલવે સ્ટેશનનું સમગ્ર સંકુલ તથા પાર્કિંગ માં પણ ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
