કુવાડવા પાસે બેટીના પુલ પરથી 19 પેસેન્જર ભરેલી એક પીક-અપ વાન, નીચે ખાબક્તા, 5 લોકોના મોત
Live TV
-
રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે બેટીના પુલ પરથી 19 પેસેન્જર ભરેલી એક પીક-અપ વાન, નીચે ખાબક્તા, 5 લોકોના મોત થયા હતા જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2ની હાલત અત્યંત ગંભીર જાણવા મળી છે. સુરેન્દ્રનગરના પાટડી પંથકના નાડોદા રજપૂત સમાજના સભ્યો, માનતા ઉતારવા માટે સૌરાષ્ટ્રની યાત્રાએ નિકળ્યા હતા ત્યારે ગઈકાલે સાંજે ચોટિલા જતી વખતે ગમખ્મવાર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવેર સ્ટેરીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ગુજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કુવાડવા પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી તત્કાળ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા હતા.
