કેન્દ્ર સરકારે દેશના તમામ પ્રાણી સંગ્રહાલયોના પ્રાણીઓને ડિસ-ઇન્ફેક્ટેડ વાતાવરણ આપવાની કામગીરી ચાલુ કરાઈ
Live TV
-
વિશ્વમાં ચારે તરફ કોરોના વાયરસ મહામારી પ્રવર્તી રહી છે. અમેરીકાના ન્યુયોર્કમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘ પણ કોરોના પોઝિટિવ હોવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. તે જાણીને પ્રાણી પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તે જોતાં કેન્દ્ર સરકારે પણ દેશના તમામ પ્રાણી સંગ્રહાલયો માટે માર્ગદર્શિકા જારી કરી છે. વડોદરાનાં કમાટીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલય ખાતે પણ સેન્ટલ ઝુ ઓથોરિટીની ગાઈડલાઇન પ્રમાણે કમાટીબાગના વાઘ સિંહ સહિતના તમામ પ્રાણીઓને ડિસ - ઇન્ફેક્ટેડ વાતાવરણ આપવા કામગીરી ચાલી રહી છે. વાઘ,સિંહ સહિતના પ્રાણીઓના પિંજરા ને માર્ગદર્શિકા પ્રમાણે સેનેટાઇઝન કરવામાં આવી રહ્યા છે. ઝુ કર્મચારીઓને પણ પ્રાણીઓ થી અંત જાળવવા સૂચના અપાઇ છે. પ્રાણીઓને ભોજન આપ્યા બાદ ઉપયોગમાં લેવાતી ટ્રે, બાસ્કેટ, ફૂડ વિહિકલોને સેનેટાઇઝ કરીદેવામાં આવે છે.
