કેન્દ્વીય મંત્રી સ્મૃતિ ઇરાની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં જોડાયા
Live TV
-
ગુજરાતમાં આગામી ત્રીજી નવેમ્બરે યોજાનાર વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગ પકડી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક સુશ્રી સ્મૃતિ ઈરાની પેટાચૂંટણીના પ્રચાર માટે હાલ ગુજરાતના પ્રવાસે છે. સ્મૃતિ ઈરાનીએ ગઇકાલે મોરબી વિધાન સભાની બેઠક માટે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસનાં પ્રદેશ નેતાઓ પણ વિધાન સભાની પેટા ચૂંટણી માટે પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ તમામ 8 બેઠકો જીતશે એવો દાવો કરતાં જણાવ્યુ હતું કે ગુજરાતની જનતા પક્ષપલટુઓને જાકારો આપશે તેમ જણાવ્યું હતું.
