કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય,નવરાત્રિમાં પ્રસાદ પેકિંગમાં આપવામાં આવશે
Live TV
-
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.મંત્રી મંડળની બેઠકમાં આગામી નવરાત્રિમાં પ્રસાદ બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને સામાજિક અંતર જળવાઇ રહે તે માટે પ્રસાદ પેકિંગમાં આપવાનો રહેશે.વધુમાં તેમણે જણાવ્યું હતુ કે સંક્રમણની શક્યતાને ધ્યાને રાખીને જે તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ચાલુ કે બંધ રાખવા અંગે નિર્ણય લેવાયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે મંદિરમાં પૂજા ,આરતી,યજ્ઞ અને હવન ચાલુ રહેશે.
