રાજકોટ: ઘરમાં જ ગરબા રમીને ખેલૈયાઓ નવરાત્રિની કરશે ઉજવણી
Live TV
-
કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકારે આ વખતે તમામ તહેવારોની જાહેર ઉજવણી પર મનાઈ ફરમાવી છે. જે પૈકી નવરાત્રિ દરમિયાન પણ આ વખતે ગરબાની મંજુરી પણ મળી નથી. જો કે, આ વચ્ચે રાજકોટના ખેલૈયાઓએ સંક્રમણ પણ ન ફેલાય અને સરકારની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે વચગાળાનો રસ્તો શોધી કાઢ્યો છે. જે અંતર્ગત ખેલૈયાઓએ પોતાના ઘરે જ પરિવારજનો , અને મિત્રો સાથે નવરાત્રિની ઉજવણી કરવાનું નક્કી કર્યુ છે. જેને પગલે શહેરના એક ખેલૈયાઓના ગ્રુપ દ્વારા ઘરે જ વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.
