કેસુડાના રંગે કેસરિયા રંગમાં રંગાયા કષ્ટભંજન દેવ
Live TV
-
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં કેસુડાનો ભવ્ય શણગાર કરાયો. હનુમાન દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. શ્રદ્ધાનું બીજુ નામ એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર જ્યાં વાર- તહેવાર તેમજ દરરોજ દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે.
હનુમાનજી મંદિર વહીવટી વિભાગ દ્વારા અહીંયા અલગ-અલગ પ્રકારના શણગારો તહેવારો પર કરવામાં આવતા હોય છે. ત્યારે હાલ ઉનાળાની શરુઆત થઈ રહી છે ત્યારે વ્રજભૂમિથી હરીભક્તો દ્વારા મોકલાવેલા કેસુડાના ફૂલથી આજે શનિવારે દાદાને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતાની અનૂભુતિ કરી હતી.
