કોરોનાના કેસની સમીક્ષા કરવા આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ રાજકોટની લીધી મુલાકાત
Live TV
-
રાજકોટમાં વધી રહેલાં કોરોના કેસની સમીક્ષા કરવા ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિ મંગળવારે રાજકોટ પહોંચ્યા હતા. કોરોનાના સંક્રમણને કેવી રીતે અટકાવવું તે અંગે મનપાના કમિશનર ઉદય અગ્રાવત અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને કામગીરીની સમીક્ષા કરી હતી.
ડૉ. જયંતી રવિ એ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાનાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી હોવાથી પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા સરકાર સતત પ્રયત્નો કરી રહી છે.
