કોરોનાને પગલે અમદાવાદનું જગન્નાથજી મંદિર 31 માર્ચ સુધી રહેશે બંધ
Live TV
-
દુનિયામાં કાળો કેર વર્તાવનાર કોરોના વાઈરસે ગુજરાતમાં પણ પોતાનો પગપેસારો કર્યો છે. ત્યારે તકેદારીના ભાગરુપે રાજ્યના ધાર્મિક સ્થળો 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર દ્વારા પણ આગામી 31 તારીખ સુધી શ્રદ્ધાળુઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી આપતા મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે કોરોના વાયરસની આ મહામારી થી બચવા આ નિર્ણય કરવામા આવ્યો છે.તો ગુજરાતના તમામ ધર્મગુરુઓ એ પ્રધાનમંત્રીની જનતા કર્ફયુ ની અપીલને સહકાર આપવા લોકોને જણાવ્યુ હતુ.
