કોરોના સંકટને કારણે બંધ કરાયેલ ગીતા મંદિર એસ.ટી બસ સ્ટેન્ડ ફરી થયું ધમધમતું
Live TV
-
કોરોનાના કટોકટીના સમયમાં 22 માર્ચથી અમદાવાદ શહેરના ગીતા મંદિર પાસે આવેલ સેન્ટ્રલ સ્ટેશનને એસ.ટી. સેવા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. 102 દિવસ બાદ આ બસ સ્ટેશન ફરીથી ધમ ધમતુ બન્યું છે.
હવે ગીતા મંદિર બસ સ્ટેશન ખાતેથી જિલ્લા મથક અને તાલુકા મથક ની બસ સેવાઓ ફરી થી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ગીતા મંદિર બસ પોર્ટની આજુ બાજુનાં વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં હોવાથી અહીંથી એસ.ટી. સેવાઓ સદંતર બંધ કરવામાં આવી હતી. પરંતુ હાલ માં આ વિસ્તાર કન્ટેઇન મેન્ટ ઝોનમાંથી દૂર થતાં આ સેન્ટ્રલ બસ પોર્ટ ,ફરી થી શરૂ કરવા માં આવ્યું છે.
