ગાંધીનગરમાં ફૂડ ટેસ્ટીંગ વાનનું લોકાર્પણ કરાયું
Live TV
-
ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારાઓ સામે લેવાશે કાયદેસર પગલા.
ગાંધીનગર ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ વાનનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે કરાયું હતું. ફૂડ સેફટી ઓન વ્હીકલ અભિગમ હેઠળ આ ફૂડ ટેસ્ટીંગ મોબાઈલ વાનનું લોકાર્પણ કરાયું હતું. જેથી રાજ્યના નાગરિકોને શુધ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તેમજ ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા તત્વો સામે કાયદેસર રીતે કડક પગલા લઈ શકાય. આ મોબાઈલ વેન અદ્યતન ટેકનોલોજી યુક્ત છે. જેના દ્વારા સ્થળે જ તળેલુ તેલ, દૂધ, પેકીંગમાં મળતા પાણી અને જ્યુસ, શરબત તેમજ અન્ય ખાદ્ય ચીજનોની ચકાસણી કરાશે.
