ગાંધીનગરમાં રાજ્યપાલની અધ્યક્ષતામાં ચાતુર માસ કળશ સ્થાપના દિવસનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીની અધ્યક્ષતામાં 22મા ચાતુર માસ કળશ સ્થાપના દિવસનો કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીની અધ્યક્ષતામાં 22મા ચાતુર માસ કળશ સ્થાપના દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જૈન સમાજ વિશ્વને અહિંસાના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે. રાજ્યપાલ શ્રીના હસ્તે સુનિલ પ્રાકૃત ભાષા ગ્રંથ તથા સંનમતિ એક્સપ્રેસ નામના સામયિકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મહાવીર સ્વામીના અહિંસાના ઉપદેશને જીવનમાં અપનાવવો જોઈએ. 22 મો ચાતુર્માસ કરનાર આચાર્ય 108 પૂ.સુનિલ સાગરજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદના પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ અનેક જૈન સાધુ સંતો દિગમ્બરો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
