ગાંધીનગર ખાતે 33 જિલ્લાના કલેક્ટરો સાથે ત્રિ-માસિક રિવ્યુ બેઠક યોજાઇ
Live TV
-
બેઠકમાં ગાંધીનગર અને અમદાવાદની જમીનને બિન ખેતી લાયક બનાવવા માટેના ઓન લાઇન NA પાયલોટ પ્રોજેક્ટનો રિવ્યુ કરવામાં આવ્યો હતો.
મહેસુલ મંત્રી કૌશીક પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે 33 જિલ્લાના કલેક્ટરો સાથે ત્રિ-માસિક રિવ્યુ બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગાંધીનગર અને અમદાવાદની જમીનને બિન ખેતી લાયક બનાવવા માટેના ઓન લાઇન NA પાયલોટ પ્રોજેક્ટનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. જમીન રિ- સર્વેમાં પ્રમોલ-ગેશનની પ્રક્રિયા હેઠળ જે ફરિયાદો મળી છે તેનો નિકાલ ઝડપથી કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે તો આ તમામ ફરિયાદોનું નિરાકરણ 31-12-2018 સુધી લાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 8 મહાનગર પાલિકાની સુચિત સોસાયટીને રેગ્યુલાઇટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં 12 થી 6 જાતના હક પત્રો ખેડૂતોને લગતા 712ના ઉતારા ખેડૂત ખાતેદારના મૂળ દસ્તાવેજોનો 90 દિવસમાં નિકાલ કરવા માટેનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
