ગુજરાતનું ગૌરવ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 8 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
Live TV
-
સરદાર પટેલ ટ્રસ્ટને 19 કરોડ રૂપિયાનું જંગી રાજસ્વ પ્રાપ્ત થયુ
ગુજરાત અને દેશ માટે ગૌરવ બની ગયેલ નર્મદના કેવડિયામાં આવેલ લોખંડી પુરૂષ સરદાર પટેલની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 8 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે.આ પ્રવાસીઓના માધ્યમથી સરદાર પટેલ ટ્રસ્ટને 19 કરોડ રૂપિયાનું જંગી રાજસ્વ પ્રાપ્ત થયુ છે..મહત્વનુ છે કે 31 ઓક્ટોબર 2018ના રોજ પ્રધાનમંત્રીએ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ..જે બાદથી અત્યાર સુધી પ્રવાસીઓનો ધસારો જબરજસ્ત જોવા મળ્યો છે..
