ગુજરાતનો ખેડૂત અને ખેતી બન્ને સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારનો એક પ્રયાસ
Live TV
-
ઉત્તર ગુજરાતના ખેડૂતોને 10 દિવસ માટે નર્મદા કેનાલથી પાણી આપવાની રાજ્ય સરકારે કરી જાહેરાત
ઉત્તર ગુજરાતના ખેડૂતોને 10 દિવસ માટે નર્મદા કેનાલથી પાણી આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ઉત્તર ગુજરાતમાં પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે. નર્મદાનું પાણી આપવા બાબતે ખેડૂતોની રજુઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપી હતી.જેના કારણે આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને પશુઓને આ ઘાસચારો રાહત આપશે. સરકારના આ નિર્ણયને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો છે.
