ગુજરાતમાં કોરોનાને લઇને કુલ 38 કેસ, રાજયમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા
Live TV
-
ગુજરાતમાં કોરોના વાઇરસને લઇને દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બુધવારે અમદાવાદ , સુરત અને વડોદરામાં કોરોના વાઇરસને લઇને એક-એક કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના વાઇરસને લઇને દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બુધવારે અમદાવાદ , સુરત અને વડોદરામાં કોરોના વાઇરસને લઇને એક-એક કેસ નોંધાયા છે. જેને લઇને રાજયમાં કોરોના વાઇરસથી સંક્રમીત લોકોની સંખ્યા 38 થઇ ગઇ છે.. જેમાં અમદાવાદમાં 14 કેસ, સુરતમાં 7, વડોદરામાં સાત, ગાંધીનહરમાં 6, રાજકોટમાં ત્રણ અને કચ્છમાં એક કેસ નોંધાયા છે. તો રાજયમાં કોરોના વાઇરસને લઇને એક વ્યક્તિનું મોત પણ થયું છે..
