ગુજરાતમાં કોરોના વાઇરસને લઇને વધુ એક મૃત્યું
Live TV
-
ગુજરાતના આરોગ્ય મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમદાવાદમાં 85 વર્ષીય વૃદ્ધાનું બુધવારે મૃત્યુ થયું હતું.
ગુજરાતમાં કોરોના વાઇરસથી વધુ એક મૃત્યુ થયું છે. ગત રાત્રે ગુજરાતના આરોગ્ય મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમદાવાદમાં 85 વર્ષીય વૃદ્ધાનું બુધવારે મૃત્યુ થયું હતું. તેમણે વિદેશ પ્રવાસ કર્યો હતો અને કોરોનાનાં લક્ષણો દેખાયાં પછી તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ૨૨ માર્ચે દાખલ કરાયાં હતાં. તેમને રોગની દૃષ્ટિએ બીજી અનેક જટિલતાઓ પણ હતી.
