ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીની સંખ્યા 44, ત્રણનાં મોત
Live TV
-
રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ મૃત્યુઆંક 3 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 44 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ આજે આ જાણકારી આપી હતી.
રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ મૃત્યુઆંક 3 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 44 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ આજે આ જાણકારી આપી હતી. જયંતિ રવીએ જણાવ્યું હતું કે, કુલ 43 કેસ છે એમાં અમદાવાદમાં 15,વડોદરામાં 8, સુરતમાં 7, રાજકોટમાં 5, ગાંધીનગરમાં 7 અને કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ છે. નોંધનયી છે કે, ભાવનગર જિલ્લામાં પ્રથમ કેસ સામે આવ્યો છે. આ પહેલા બુધવારે અમદાવાદમાં 85 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક અમદાવાદની મહિલા છે અને તેઓ સાઉદી અરેબિયામાં મક્કા મદિનાથી પરત ફર્યા હતા. આ પહેલા સુરતમાં એક વ્યક્તિનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું.
