ગુજરાતમાં નવા 139 પોઝિટિવ કેસ, કોરોનાના કુલ દર્દી 1743 : ડો. જયંતિ રવિ
Live TV
-
આજ રોજ કોરોના વાયરસના 11 દર્દી ડિસ્ચાર્જ થયા
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. તેને લઇને દેશમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. ત્યારે કોરોનાની સ્થિતિની માહિતી આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યુ કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 139 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 99 પોઝિટિવ કેસ આવ્યા છે. કુલ કોરોના પીડિતોની સંખ્યા 1743 થઇ છે. આ ઉપરાંત, સુરત માં કોરોનાના 22 કેસ આવ્યા છે. પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે,આજ રોજ કોરોના વાયરસને કારણે 5 મોત થયા છે, તે સાથે રાજ્યમાં મૃત્યુઆંક 63 એ પહોચ્યો છે. તો આજે 14 લોકો વેન્ટિલેટર પર છે. ત્યારે આજે રાજ્યમાં 11 સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1743 એ પહોચ્યા છે.
