રાજ્યમાં કોરોના વાયરસના વધુ 108 કેસ આવ્યા સામે
Live TV
-
અત્યાર સુધી રાજ્યમાં કુલ 1851 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 14 લોકો વેન્ટીલેટર ઉપર છે. તેમજ એક હજાર 662 લોકો સ્ટેબલ છે. તો 106 જેટલા લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે સવારે આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં કોરોના વાઇરસના નવા 108 કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 91 કેસ નોંધાયા છે. 91 કેસ પૈકી 66 જેટલા કેસ હોટ સ્પોટ વિસ્તારમાંથી સામે આવ્યા છે. તો અરવલ્લીમાં છ કેસ, કચ્છમાં બે કેસ, મહિસાગરમાં એક, પંચમહાલ-રાજકોટ અને સુરતમાં બે કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં કુલ 1851 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 14 લોકો વેન્ટીલેટર ઉપર છે. તેમજ એક હજાર 662 લોકો સ્ટેબલ છે. તો 106 જેટલા લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
