ગુજરાતમાં 24 થી 27 માર્ચ સુધી વિજય સંકલ્પ સંમેલન
Live TV
-
ભાજપ દ્વારા રાજ્યમાં આગામી લોકસભા ચુંટણીના સંદર્ભમાં તારીખ 24 થી 27 માર્ચના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનો યોજાશે. તો આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તારીખ 26 માર્ચે ગાંધીનગર ખાતે યોજાનાર વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થીત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. ભાજપના પ્રવકતા આઈ.કે.જાડેજાએ આ વિશે માહિતી આપી હતી.
