ગુજરાતી ભાષાના વરિષ્ઠ સર્જક અને જાણીતા કટાર લેખક મોહંમદ માંકડનું નિધન
Live TV
-
ગુજરાતીભાષાના વરિષ્ઠ સર્જક અને જાણીતા કટાર લેખક મોહંમદ માંકડનું ગાંધીનગરમાં નિધન થયુંછે. 94 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. આજે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
1982થી1992 સુધી તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે સેવાઓ આપી હતી. ગુજરાત જાહેર આયોગ સેવાના સભ્ય તરીકે 1984થી 1990 સુધી રહ્યા હતા. તેઓ ગુજરાતયુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહ્યા હતા.
વાર્તાકલાના કસબી મહંમદ માકડે નવલકથા, ટૂંકીવાર્તા, કટારલેખન, બાળવાર્તા અને અનુવાદ એમ વિવિધ ક્ષેત્રે લાંબા સમય સુધી કલમ વિહાર કર્યો હતો. 2007માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. 1967 અને1992માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 2019માં સાહિત્ય અકાદમી તરફથી વર્ષ 2018મો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાંએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
