ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અમદાવાદમાં સંબોધી પત્રકાર પરિષદ
Live TV
-
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 2019ની ચૂંટણી પર સમગ્ર દેશનું ભવિષ્ય મંડાયેલું છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ઘોષણા પત્ર 2019 ની સવિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસપક્ષે પોતાના ઘોષણા પત્રમાં રોજગારી, ખેતીનો વિકાસ , શિક્ષકોને નોકરી અને દેશની વસ્તીના વીસ ટકા લોકોની ગરીબીમાંથી બહાર લાવવા નિર્ધારીત યોજનાઓ ઘોષિત કરી છે. તેને કોંગ્રેસ પક્ષ સત્તા પર આવશે તો નિશ્ચિત સમય મર્યાદામાં સમગ્ર દેશમાં લાગુ કરશે. તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 2019ની ચૂંટણી પર સમગ્ર દેશનું ભવિષ્ય મંડાયેલું છે ત્યારે કોંગ્રેસ પક્ષ પણ દેશની જનતાના કલ્યાણ માટે અગ્રેસર રહી ઘોષણાપત્રને પોતાની નીતિ બનાવશે અન જનતાને કરેલા વાચનો પૂર્ણ કરશે.
