ગુજરાત વિદ્યાપીઠમાં 66 મો પદવીદાન સમારંભ
Live TV
-
વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા પદવીદાન સમારંભમાં વર્ષ દરિમયાન સફળતા પ્રાપ્ત કરીને ડિગ્રી મેળવનારા વિધાર્થી ઓને ગૂજરાત વિદ્યાપીઠ ના કુલપતિ ઇલા બેન ભટ્ટ ના હસ્તે પદવી એનાયત કરાઈ
ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં 66 મો પદવીદાન સમારંભ યોજાયો હતો. વિપ્રો ના ચેરમેન અઝીમ પ્રેમજી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા પદવીદાન સમારંભ માં વર્ષ દરિમયાન સફળતા પ્રાપ્ત કરી ને ડિગ્રી મેળવનારા વિધાર્થી ઓને ગૂજરાત વિદ્યાપીઠ ના કુલપતિ ઇલા બેન ભટ્ટ ના હસ્તે પદવી એનાયત કરાઈ હતી. સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને પણ ચંદ્રક એનાયત થયા હતા. પદવીદાન સમારંભ માં 27 વિદ્યાર્થીઓને પીએચડી , 25 ને એમફિલ, 355 વિદ્યાર્થીઓને અનુસ્નાતક , 204 સ્નાતક, તેમ જ 77 વિદ્યાર્થીને અનુસ્નાતક ડિપ્લોમા, પદવી એનાયત થઇ હતી. આ પ્રસંગે કુલપતિ ઈલા બેન ભટે જણાવ્યું હતું કે વિદ્યાપીઠ ગાંધી વિચારો ને વિશ્વ માં જુદા જુદા માધ્યમો થી પહોંચાડે છે વિપ્રો ના સ્થાપક અઝીમ પ્રેમજી એ વિદ્યાર્થીઓ ને ગાંધી વિચારો ને જીવંત રાખવા અનુરોધ કર્યો હતો. સમારંભમાં ગૂજરાત વિદ્યાપીઠ ના કુલનાયક અનામીક શાહ સહિત અનેક અગ્રણી ઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
