જામનગરમાં ડેન્ગ્યૂનો કહેર, 6 વર્ષની બાળકીનું મોત
Live TV
-
જામનગરમાં ડેન્ગ્યૂએ ભરડો લીધો છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે 15 જેટલાં લોકોનાં મોત નીપજ્યા છે.
ગુજરાતમાં વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે જામનગરમાં ડેન્ગ્યૂએ ભરડો લીધો છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે 15 જેટલાં લોકોનાં મોત નીપજ્યા છે. ત્યારે ડેન્ગ્યૂના કારણે વધુ એક મોત થતાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 16 પર પહોંચ્યો છે. જામનગર શહેરના ખાખીનગરમાં રહેતી 6 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. મૃતક બાળકીનું નામ ભૂમિ નંદાણીયા હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર બાબત એ છે કે, હાલ 200થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
