ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગને વય મર્યાદામાં અપાઈ છૂટછાટ
Live TV
-
સરકારી નોકરીમાં બિન અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને 5 વર્ષની એટલે કે 45 વર્ષની ઉંમર સુધીની છૂટછાટ મળશે અને આ ઠરાવનો અમલ 14 જાન્યુઆરી 2019થી કરવાની જોહેરાત કરવામાં આવી છે
ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેના ભાગરૂપે સરકારી નોકરીમાં બિન અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને 5 વર્ષની એટલે કે 45 વર્ષની ઉંમર સુધીની છૂટછાટ મળશે. આ ઠરાવનો અમલ 14 જાન્યુઆરી 2019થી કરવાની જોહેરાત કરવામાં આવી છે. જે લોકોનો S.C.,S.T.,O.B.C. વર્ગોમાં સમાવેશ થતો નથી તેવા આર્થિક રીતે નબળા વર્ગોના નાગરીકોને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ તથા ગુજરાત રાજ્ય હેઠળની મુલકી જગા સેવા પરની નિમણુકોમાં અનામતનું ધોરણ 10 ટકા રાખવાનો ઠરાવ કરાયો હતો.
