ગુજરાત હાઈકોર્ટના ત્રણ નવા ન્યાયાધીશોએ લીધા ગોપનીયતાના શપથ
Live TV
-
ગુજરાત હાઈકોર્ટમાં વૈભવી નાણાવટી, નિર્ઝર કુમાર દેસાઈ, નિખલ કેરીઅલે, હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે લીધા શપથ.
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ધારાશાસ્ત્રી વૈભવી નાણાવટી, નિર્ઝરકુમાર સુશીલકુમાર દેસાઇ તેમજ નિખીલ શ્રીધરન કેરીઅલની ગુજરાત હાઇકોર્ટના જજ પદે વરણી કરાઈ છે.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે ત્રણેય નવનિયુક્ત જજોને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ હાઇકોર્ટના અધિકારીઓ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
