"ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી”ની સ્થાપના કરવાનો કૃષિ હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વમાં રાજયભરમાં બાગાયત ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપવાના હેતુથી “ગુજરાત હોર્ટી કલ્ચર નોલેજ સોસાયટી”ની સ્થાપના કરવાનો કૃષિ હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. “ગુજરાત હોર્ટી કલ્ચર નોલેજ સોસાયટી”ની ભૂમિકા સ્પષ્ટ કરતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, આ સોસાયટી રાજયમાં બાગાયત કૌશલ્ય વિકાસ માટે રોજગારલક્ષી કાર્યક્રમોના અયોજનની સાથે વિશ્વભરમાં ઉપલબ્ધ બાગાયત ક્ષેત્રની ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી સામાન્ય ખેડૂતો સુધી પહોંચાડશે. રાજયમાં હાલ અમલી સેન્ટર ઓફ એકસેલેંસ અને બાગાયત નર્સરીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી ગુણવત્તાયુકત રોપ અને ધરું પુરા પાડશે. મહત્વનું છે કે બાગાયતી મૂલ્યવર્ધિત બનાવટો દ્વારા રોજગારીની તકો પણ પુરી પાડશે.
