ગુજરાત 100% 'હર ઘર જલ' રાજ્ય તરીકે જાહેર, રાજ્યના દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા
પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતને 100 ટકા હર ઘર જલ રાજ્ય જાહેર કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ આ અંગેની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. નલ સે જલ અભિયાન થકી અથાગ પરિશ્રમ બાદ ગુજરાત આ લક્ષ્ય સિદ્ધ કરવામાં સફળ થયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 મી ઓગસ્ટ, 2019નાં રોજ લાલ કિલ્લા પરથી જલ જીવન મિશનની ઉદઘોષણા કરી હતી. આ મિશન અંર્તગત ગુજરાતનાં દરેક ઘરને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાનો ઉદેશ્ય હતો. આ મિશન ગુજરાતનાં પાણી પુરવઠા મોડેલનું વિસ્તરણ છે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે અમલમાં મુકાયું હતુ. ગુજરાત સરકારે 2024ની સમય સીમાના બે વર્ષ પૂર્વે 2022 માં આ લક્ષ્યાંકને હાંસલ કરી લીધું છે. ડુંગરથી લઈ રણ કે જંગલ તમામ પ્રાકૃતિક વિષમતાઓ વચ્ચે પણ કામ કરીને ગુજરાત સરકારે આ લક્ષ્યાંક હાંસલ કર્યુ છે.
