ઘૂડખર અભ્યારણ્ય 15 દિવસ માટે બંધ કરાયુ
Live TV
-
અભયારણ્ય બંધ રહેવાનું મુખ્ય કારણ આ સમય ઘૂડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ હોય છે.. અને તેમાં તેને ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્યને બંધ કરાય છે.
કચ્છનું નાનું રણ 4,953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણમાં દુર્લભ્ય એવું ઘૂડખર પ્રાણી તેમજ વિદેશથી આવતા પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. આથી આ રણને ઘૂડખર અભ્યારણ્ય તરીકે જાહેર કરાયું છે. આ ઘૂડખરને જોવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે દર શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. આ અભયારણ્ય બંધ રહેવાનું મુખ્ય કારણ , આ સમય , ઘૂડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ હોય છે અને તેમાં તેને ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્યને બંધ કરાય છે. છેલ્લા વર્ષોમાં આ અભયારણ્યની મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
