Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં 263 કેસ નોંધાયા,3,028 લોકોને કોરોનાની રસી અપવામાં આવી

Live TV

X
  • ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં 263 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ થયેલ નથી. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4403એ પહોંચ્યો છે. જ્યારે 270 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર વધીને 97.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,08,658 વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીને કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

    છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 52, સુરત કોર્પોરેશન 39, વડોદરા કોર્પોરેશન 43, રાજકોટ કોર્પોરેશન 22, વડોદરા 08, કચ્છ 05, ગાંધીનગર 05, સુરત 06, રાજકોટ 04, અમરેલી 01, ખેડા 06, ભરૂચ 05, ગાંધીનગર કોર્પોરેશન 05, જામનગર કોર્પોરેશન 06, જુનાગઢ કોર્પોરેશન 02, સાબરકાંઠા 04, મોરબી 03, જુનાગઢ 01, ગીર સોમનાથ 07, મહીસાગર 03 કેસ સામે આવ્યા છે.

    ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,60,198 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 1696 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 31 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 1665 સ્ટેબલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply