છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી લોકો ચિંતામાં મૂકાયા
Live TV
-
છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના પગલે નદી નાળાઓ છલકાયા છે. તો રસ્તા ઉપર બનેલા કોઝ વે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી લોકો ચિંતામાં મૂકાયા છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના પગલે નદી નાળાઓ છલકાયા છે. તો રસ્તા ઉપર બનેલા કોઝ વે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લાની હેરન નદીમાં પાણીની આવકથી નદી બે કાંઠે વહી રહી છે, જેથી કોસિન્દ્રા ચીખોદ્રા રોડ બંધ થયો છે. તો નસવાડીની અશ્વિન નદીના પાણી બોરિયાદ ગામ નજીક ના કોઝ-વે ઉપર ફરી વળતાં 50 ગામને જોડતો રસ્તો બંધ થયો છે. લોકોને તાલુકા મથકે પહોંચવા 20 કિમીનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા કોઝ-વે ઉપરથી પાણી પસાર થતા સમયે જોખમ ના ખેડવા અનુરોધ કર્યો છે.
