છોટા-ઉદેપુર જિલ્લામાં દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગ સફળ
Live TV
-
દીપડાને પાવાગઢ પાસે ધોબીકૂવાના રેસ્ક્યૂ સેન્ટરમાં મોકલી અપાયો
છોટા ઉદેપુર જિલ્લામાં પાવિજેતપુરના ઝરી ગામે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી છે.વન વિભાગે ગામમાં ત્રણ અલગ અલગ જગ્યાએ પાંજરા અને ટ્રેપ કેમેરા ગોઠવ્યા હતા.અને વહેલી સવારે દીપડાને પાંજરે પુરી લીધો હતો.પાંજરે પુરાયા બાદ દીપડાનું મેડિકલ ચેક અપ કરાવી પાવાગઢ પાસે ધોબીકૂવાના રેસ્ક્યૂ સેન્ટરમાં મોકલી અપાયો હતો. બીજી તરફ આદમખોર દીપડાનો ભોગ બની મોતને ભેટેલા ધવલ રાઠવાના પિતા જશવંતભાઈ રાઠવાને વન વિભાગ દ્વારા રૂપિયા 4 લાખનો ચેક જિલ્લા કલેક્ટરના હસ્તે આપવામાં આવ્યો હતો. મંગળવારના દિવસે ઘરની બહાર સુઈ રહેલા 9 માસના ધવલને દીપડો ખેંચી ગયો હતો.જેમાં તેનું મોત નિપજ્યું હતું
