પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 100 માછીમાર માદરે વતન પહોંચ્યા
Live TV
-
જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ કરી
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 100 માછીમાર આજે માદરે વતન આવી પહોંચ્યા હતા.બીજા રાઉન્ડમાં મુક્ત કરવામાં આવેલા માછીમારો ગીર સોમનાથના વેરાવળ પાસે આવેલા કીડીવાવ ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ કરી હતી અને ત્યારબાદ આ માછીમારો પોતાના પરિવારજનો પાસે પહોંચશે. મહત્વનું છે કે 12 તારીખે છૂટેલા 100 માછીમારોમાં એક બોગસ માછીમાર ઝડપાયો હતો.જેના કારણે હાલ મુક્ત થયેલા માછીમારોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.
