જગન્નાથ મંદિરમાં આગામી રથયાત્રા તહેવારને પગલે તડામાર તૈયારીઓ શરુ
Live TV
-
અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. કોરોના કાળના 2 વર્ષ બાદ રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ભજન મંડળી, અખાડાઓ અને ભક્તો સાથે ભવ્ય રીતે રથયાત્રા નિકળશે. જો કે, મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતાને જોતાં સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિર પ્રશાસન સાથે બેઠક યોજી હતી. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને લઈ સરકાર તૈયાર અને સતર્ક છે. આ બેઠકમાં પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર, ટ્રાફિક જેસીપી સેક્ટર 1 સહિતના અધિકારી હાજર રહ્યાં હતાં.
