જગન્નાથ મંદિરે રથયાત્રા પૂર્વે રક્તદાન કેમ્પ: 435 યુનિટ રક્ત એકત્રિત
Live TV
-
અમદાવાદ: આગામી 149મી રથયાત્રાના ઉપલક્ષમાં આજે જગન્નાથ મંદિર ખાતે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેક્ટર-1ના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં ઝોન-3 અને ઝોન-7 દ્વારા સંયુક્ત રીતે આ કેમ્પ યોજાયો હતો.રક્તદાન પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સેવાકીય કાર્યમાં જોડાઈને રક્તદાન કર્યું હતું. આ શિબિરના અંતે કુલ 435 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે.
