જળ અભિયાનને વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું માર્ગદર્શન
Live TV
-
મુખ્યમંત્રીએ સુઝલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ જળ સંચયના કામોમાં પાંચ મોટા તળાવો આદર્શ જળ સંચય તળાવ તરીકે વિકસાવવા સૂચન કર્યું હતું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સુઝલામ સુફલામ જળ અભિયાનને પુનઃ વેગવંતુ બનાવી મિશન મોડમાં જળ સંચય કામો હાથ ધરવા ઉચ્ચ સ્તરીય બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ જળ સંચયના કામોમાં પાંચ મોટા તળાવો આદર્શ જળ સંચય તળાવ તરીકે વિકસાવવા સૂચન કર્યું હતું. રાજ્યમાં સુઝલામ સુફલામ નેટ વર્ક આધારીત કેનાલ નેટવર્ક ઉપર વરસાદી પાણી ભુગર્ભમાં ઉતારી શકાય અને જળ સ્તર ઊંચા આવે તે માટે પર્કોલેશન વેલ નેટવર્ક ઉભુ કરવાનું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
