જૂનાગઢ વન વિભાગ દ્વારા વન્ય જીવોની સુરક્ષાને લઈને લેવાયા વિવિધ પગલાં
Live TV
-
વન વિભાગ દ્વારા વન્ય જીવો માટે ગરમીથી બચવા અને જીવન ટકાવવા અને જરૂરી પાણીના સ્રોત ભવિષ્યમાં ઉપલબ્ધ થઈ શકે તે આશયથી વન વિસ્તારમાં વિવિધ રીતે પાણીની કુંડીઓ બનાવીને તેને પાણીથી ભરવામાં આવી રહી છે
કાળઝાળ ગરમીનો પ્રકોપ સમગ્ર રાજ્યમાં છે. ત્યારે જૂનાગઢ વન વિભાગ દ્વારા વન્ય જીવોની સુરક્ષાને લઈને વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. વન વિભાગ દ્વારા વન્ય જીવો માટે ગરમીથી બચવા અને જીવન ટકાવવા અને જરૂરી પાણીના સ્રોત ભવિષ્યમાં ઉપલબ્ધ થઈ શકે તે આશયથી વન વિસ્તારમાં વિવિધ રીતે પાણીની કુંડીઓ બનાવીને તેને પાણીથી ભરવામાં આવી રહી છે. તો આ તરફ રાજકોટમાં પણ લોકોને પાણીની કોઈ સમસ્યા ન નડે તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
