જળ એ જ જીવન છે આ સૂત્રને સુ્રેન્દ્રનગર લીંબડી તાલુકાના પાંદરી ગામના લોકોએ સાર્થક કર્યું
Live TV
-
જળ એ જ જીવન છે આ સૂત્રને સુ્રેન્દ્રનગર લીંબડી તાલુકાના પાંદરી ગામના લોકોએ સાર્થક કર્યું છે. આ ગામના લોકોએ જનભાગીદારીથી વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે દરેક ઘરમાં ભૂગર્ભ ટાંકી બનાવી છે. જેમાં આઠથી દસ હજાર લીટર જેટલાં પાણીનો સંગ્રહ થાય છે. આ પાણી ઉનાળાના અછતના સમયમાં ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઉનાળામાં મોટાભાગના વિસ્તારમાં પાણીની અછત વર્તાતી હોય છે. આ પરિસ્થિતિમાં ભૂર્ગભ ટાંકા દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ એક સારો વિકલ્પ છે. પાંદરી ગામના લોકોએ વરસાદી પાણીના આ વિકલ્પને આવકાર્યો છે અને અન્ય લોકોને પણ આ રીતે જળ બચાવીને વરસાદી પાણીના સદઉપયોગ માટે અનુરોધ કર્યો છે.
