સ્વામિનારાયણ હોસ્પિટલનું રાજ્યપાલ અને સીએમે કર્યું લોકાર્પણ
Live TV
-
સૌ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના અને સેવાના ઉદ્દેશ સાથે , આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગરના કોબા ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ હોસ્પિટલનું , રાજ્યપાલ ઓ.પી.કોહલી , અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. 125 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ , અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું , કે એર સ્ટ્રાઈક બાદ , કેસરિયો રંગ પણ ઘાટો થયો છે. સૌ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના અને સેવાના ઉદ્દેશ સાથે , આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલ માનવ જગતની સેવા માટેનું , ઉત્તમ સાધન બનશે , અને અહીં સારામાં સારી સારવાર મળી રહેશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું , કે હજારો સંતો સેવાના કામો કરી રહ્યા છે. જેના કારણે છેવાડાના માનવી સુધી , આરોગ્યની સેવાઓ પહોંચી છે. આજે શિક્ષણ અને આરોગ્ય , બન્નેમાં વિકાસ થયો છે.
