જામનગરઃ એક જ પરિવારના પાંચ સભ્યોએ કરી સામૂહિક આત્મહત્યા
Live TV
-
જામનગરમાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પી ને સામુહિક આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન આર્થિક સંકડામણના પગલે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
જામનગર શહેરના કિસાનચોક નજીક રહેતા અને ફરસાણનો વ્યવસાય કરતા દીપકભાઈ સાકરીયા તેમના માતા જયાબેન, પત્ની આરતીબેન, પુત્રી કુમકુમ અને પુત્ર હેમંત સહિત પાંચ લોકોએ જંતુનાશક ઝેરી દવા ગટગટાવીને જીવાદોરી ટૂંકાવી દીધી હતી.
ઘટનાની જાણ થતા જ જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ, ડીવાયએસપી એ.પી.જાડેજા સહીતનો વિશાળ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
