જામનગરના મસિતિયા ગામ ખાતે ઘોડાની રેસનું કરાયું આયોજન
Live TV
-
૩૦ જેટલા ઘોડેસવારોએ ભાગ લીધો
જામનગર તાલુકાના મસિતિયા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધુળેટી નિમિતે ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. મસિતિયા ગામમાં ધુળેટી ઉપરાંત હઝરત કમરૂદિન શાહ બાબાની દરગાહનો ૧૧૪ મો ઉર્સ પ્રસંગ હોવાથી સ્થાનિક લોકોએ ભેગા મળીને દરગાહમાં મહાપ્રસાદ અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં વિશાળ મેદાનમાં ઘોડા રેસ યોજાઈ હતી જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે ૩૦ જેટલા ઘોડેસવારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.
