જામનગર ખાતે INS વાલસુરા દ્રારા નેવી દિવસની ઉજવણી
Live TV
-
જેના પર દરેક દેશવાસીને ગર્વ છે.અને જેનાથી દુશ્મનો થર થર કાંપી ઉઠે છે ,તે દેશની આન બાન અને શાન ,ભારતીય નૌસેના.આજનો દિવસ નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે નેવી ડેની પૂર્વ સંધ્યાએ ,જામનગરના વાલસુરા ખાતે ,નેવીના મથકમાં ,બીટિંગ ધ રિટ્રીટ સહિતના કાર્યક્રમો ,યોજાયા હતા.આ સેરેમનીમાં ,બેન્ડ પર્ફોર્મન્સ, કન્ટિનયુટી ડ્રીલ, સનસેટ સેરેમની, પીટી ડિસ્પ્લે ,તેમજ મસાલા ડિસ્પ્લે ,અને નેશનલ એન્થમ સહિતના અદભૂત કાર્યક્રમો ,યોજવામાં આવ્યા હતા.વર્ષ 1971માં ,પાકિસ્તાન સામે થયેલા યુદ્ધમાં ,ભારતીય નેવીએ ,પાકિસ્તાનના કરાચી હાર્બરને નષ્ટ કરી ,ઝળહળતો વિજય મેળવ્યો હતો. ત્યારથી ,તે દિવસની યાદમાં ,નેવી ડે ઉજવણી કરવામાં આવે છે.
