જૂનાગઢના મહાશિવરાત્રિ મેળાનું મીની કુંભ મેળા તરીકે આયોજન
Live TV
-
જૂનાગઢ માં આવેલ પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં દર વર્ષે યોજાતા મહા શિવરાત્રીના મેળાને ગુજરાત સરકારે હવે મીની કુંભ તરીકે આયોજન કરવાનું જાહેર કર્યું છે અને તે માટે અત્યારથીજ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આગામી માર્ચ - 2019માં યોજાનાર આ મીની કુમ્ભ મેળાના આયોજન માટે જૂનાગઢ મહાનગર પલાઈકાનાઈ સ્ટેન્ડિંગ કમિટીએ એક બેઠક યોજી કુલ મળીને 6.36 કરોડના 7 કામો મંજુર કરવામાં આવ્યા છે.
ભવનાથમાં યોજાનાર શિવરાત્રીના મેળામાં પ્રતિ વર્ષ લાખ્ખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે ત્યારે તેમની સુખ સુવિધાને ધ્યાને લઇ વિકાસ કામો કરવામાં આવશે. આ ઉપરાંત ભાવિકોની સલામતીને ધ્યાને રાખીને પણ વિકાસ કામો કરવામાં આવનાર છે. ખાસ કરીને ભવનાથમાં એલઇડી સ્ક્રીન, સ્ટ્રીટ લાઇટ, હાઇમાસ્ટ ટાવર,સીસીટીવી કેમેરા, રોડ રસ્તાના કામો કરવામાં આવનાર છે.
